-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
સરકારી નોકરી અપાવવાનું કૌભાંડ: તામિલનાડુના પૂર્વ મિનિસ્ટર રાજેન્દ્ર ભાલાજી વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન : બુધવાર સુધી ધરપકડ નહીં કરવા પોલીસને નામદાર કોર્ટની મૌખિક સૂચના : આગામી સુનાવણી બુધવારના રોજ

ચેન્નાઇ : સરકારી નોકરી અપાવવાના કૌભાંડ મામલે તામિલનાડુના પૂર્વ મિનિસ્ટર રાજેન્થ્ર ભાલાજી વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરાઈ છે. જે અનુસંધાને નામદાર કોર્ટે બુધવાર સુધી ધરપકડ નહીં કરવા પોલીસને મૌખિક સૂચના આપી છે. કેસની સુનાવણી બુધવાર ઉપર રાખવામાં આવી છે.
ભૂતપૂર્વ પ્રધાન અને AIADMKના વરિષ્ઠ સભ્ય કે.ટી.રાજેન્દ્ર ભલાજી
સરકારી નોકરી ઓફર કૌભાંડના આરોપી છે. જસ્ટિસ એમ નિર્મલ કુમારે આ મામલાની સુનાવણી આવતા બુધવાર સુધી સ્થગિત કરતી વખતે મૌખિક રીતે બુધવાર સુધી પોલીસને કોઈ કાર્યવાહી ન કરવા કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ત્યાં સુધી પોલીસ તપાસ આગળ વધારી શકે છે. પરંતુ કોઈ કડક પગલાં ભરી શકશે નહીં.
સુનાવણી દરમિયાન પૂર્વ મંત્રી તરફથી હાજર રહેલા એડવોકેટ અજમલ ખાને દાવો કર્યો હતો કે આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે રજૂઆત કરી હતી કે ફરિયાદીઓમાંના એક, કે. વિજયા નલ્લાથમ્બી, અમુક ફોજદારી કેસોમાં સંડોવાયેલા છે અને તેમના રાજકીય સંબંધો છે.
તેમણે ઉમેર્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાન તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને જો તેમને કલમ 41A CrPC હેઠળ નોટિસ જારી કરવામાં આવે તો તે હાજર થશે.
રાજ્યના સરકારી વકીલ હસન મોહમ્મદ ઝીણાએ દલીલ કરી હતી કે ભલાજી સામેના આરોપો માત્ર પૈસાની છેતરપિંડી પૂરતા મર્યાદિત નથી પણ તેમાં હત્યાના પ્રયાસનો પણ સમાવેશ થાય છે. તેણે એવી રજૂઆત કરી હતી કે ભલાજી પર આરોપ છે કે તેણે અન્ય વ્યક્તિની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગુંડાઓ માટે રૂમની વ્યવસ્થા કરી હતી.
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ નામદાર કોર્ટે બુધવાર સુધી સુનાવણી મુલતવી રાખી છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.