Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહારો

ભાજપ દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને ખોખલી કરી રહી છેઃ પ્રિયંકા

નવી દિલ્હી,તા.૨૦: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ નાણા મંત્રી નિર્મલા સિતારમન દ્વારા કરાયેલા એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમના વેચાણની યોજના અંગેના નિવેદન પર બુધવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે ભાજપ દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને ખોખલી કરી રહી છે અને તેનું વેચાણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે નાણાં મંત્રી નિર્મલા સિતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર માર્ચ ૨૦૨૦ સુધીમાં એર ઈન્ડિયા અને ઓઈલ રિફાઈનરી બીપીસીએલના વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે.

પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે સરકારને દ્યેરતા એક ટ્વીટમાં લખ્યું કે, શ્નઆપણી સંસ્થાઓ આપણું ગૌરવ છે. આ આપણા સોનેરી પંખી જેવા છે.લૃ ભાજપે દેશના વિકાસનું વચન આપ્યું હતું પરંતુ તેઓ દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓને ખોખલી કરી રહ્યા છે અને તેને વેચી રહ્યા છે તેમ પ્રિયંકાએ જણાવ્યું હતું.

(1:09 pm IST)