Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કેરળઃ સબરીમાલા મંદિર પરિસરમાંથી 68 દેખાવકારોની ધરપકડ : પોલીસ કાર્યવાહી વિરુદ્ધ રાજ્યભરમાં દેખાવો

ભાજપે પોલીસ કાર્યવાહીની ન્યાયીક તપાસની માગ કરી.

સબરીમાલા મંદિર પરિસરમાં દેખાવ કરી રહેલા 68 લોકોની કેરળ પોલીસે ધરપકડ કરી છે. દેખાવકારોની ધરપકડ વિરુદ્ધ સમગ્ર રાજ્યમાં દેખાવો થઈ રહ્યા છે મોડી રાતથી જ અરણુલા, કોચ્ચી, કોલ્લમ, અલ્પુઝા, રાની, તોડુપુઝા, કલાડી, મલ્લપુરમ અને ઈડુક્કીમાં દેખાવો ઉગ્ર થઈ ગયા હતા ભાજપે પોલીસ કાર્યવાહીની ન્યાયીક તપાસની માગ કરી છે .

    બીજીતરફ સબરીમાલામાં કલમ 144 લાગુ કરતાં કેન્દ્રીય મંત્રી કે. જે. અલ્ફોન્સે કહ્યું કે શ્રદ્ધાળુઓ આતંકી નથી. સબરીમાલામાં કલમ 144 લાગુ કરવાની શું જરૂર છે. રાજ્ય સરકારે મંદિરમાં સુવિધાઓ પૂરી પાડવા માટે કશું કર્યું નથી. ભાજપ અને આરએસએસના કાર્યકરોએ મુખ્યમંત્રી પી. વિજયનના સરકારી આવાસ ક્લિફ હાઉસ સામે પણ દેખાવો કર્યા હતાં

(12:37 am IST)