Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભોપાલમાં પશુકલ્યાણ અંગે મીટીંગ

ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઇન્ડિયાના સદસ્ય ગિરીશભાઇ શાહ સહીતની ટીમે મધ્યપ્રદેશ સરકારના મહામહીમ રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલ સાથે રાજભવન ભોપાલ ખાતે પશુ કલ્યાણ અને જીવદયા વિષયક મીટીંગ કરી હતી. જેમાં જિલ્લા દીઠ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની રચના તેમજ ગૌચરની ભુમીની સુરક્ષા અંગે તેમજ પશુબલ અને કુરબાની અટકાવવા અંગે તેમજ વરસાદના પાણીના સંચય માટે શું પગલા લેવા તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રત્યુતરમાં આ તમામ મુદ્દે ગંભીરતાથી વિચારવા અંગે રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ખાત્રી ઉચ્ચારી હતી.

(4:20 pm IST)