Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમે કર્નલ પુરોહિતને રાહત આપવાનો ઇનકાર કર્યો

બોમ્બે હાઈકોર્ટ 21મી નવેમ્બરે સુનાવણી હોવાથી સુપ્રીમ કોર્ટ આ મામલામાં દખલ કરી શકે નહીં.

નવી દિલ્હી :2008ના માલેગાંવ બ્લાસ્ટ મામલે સુપ્રીમ કોર્ટે કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેસની ટ્રાયલ પર રોક લગાવવા ઇનકાર કરતા કહ્યું કે, બ્લાસ્ટ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે. બોમ્બે હાઈકોર્ટ આ મામલે આગામી 21મી નવેમ્બરના રોજ સુનાવણી કરશે. જેથી સુપ્રીમ કોર્ટ આ મામલામાં દખલ કરી શકે નહીં

   કર્નલ શ્રીકાંત પુરોહિતે યુએપીએ હેઠળ બોમ્બે હાઈકોર્ટની કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. અગાઉ 30 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે આરોપી કર્નલ શ્રીકાંત પુરોહિત અને અન્ય શખ્સો વિરૂદ્ધ નિચલી કોર્ટમાં આરોપ નક્કી કરવાની પ્રક્રિયા પર રોક લાગવવા ઇનકાર કર્યો હતો

(12:00 am IST)