Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દિલ્હીના કરોલબાગમાં આવેલ ફેકટરીમાં બપોરે ૧૨ વાગ્યાથી ભીષણ આગઃ ૪ના મોતઃ કેમીકલ લીકેજના કારણે આગ લાગ્યાનું તારણ

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના કરોલ બાગના બીડનપુરામાં સોમવારે (19 નવેમ્બર)ના લગભગ 12 વાગે એક ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 4 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ત્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.

કેમિકલ લિકેજના કારણે લાગી આગ

મળતી જાણકારી અનુસાર, ફેક્ટરીમાં આગલ કેમિકલના લિકેજના કારણે લાગી છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

(12:00 am IST)