Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અકિલા - કંકણ આદ્યશકિત આરતીઃ આજે રાત્રે આરાધના ગરબો ૧૫૧ દીવાની માગ

અકિલા દૈનિકના ફેસબુક પેઈજ akilanews ઉપર દરરોજ રાત્રીના ૮ વાગ્યે ભકિતમય કાર્યક્રમ નિહાળો

રાજકોટઃ અકિલા-કંકણ દ્વારા દરરોજ રાત્રીના ૮ વાગ્યે માતાજીની આરતી સાથે ભાતિગળ ગરબા પીરસવામાં આવે છે. દરમિયાન આજે ચોથા નોરતે આદ્યશકિત આરતી  આરાધના ગરબો, માતાજીના ૧૫૧ દિવા જાગ અને મંદિર ઘટનાદ સાથે રજુ કરવામાં આવશે. ગ્રુપ લીડર ટવીંકલ જાગણી દ્વારા માં અંબાજીના ચરણોમાં આરતી ગરબો રમતો ઘુમતો ભમતો કર્યો છે. ઉપરોકત તસ્વીરોમાં માતાજીના દિવાજાગ માથે રાખીને આરતી કરતાં દ્રષ્ટી ત્રિવેદી અને કંકણની દિકરીઓ, ૧૫૧ દિવાજાગ માથે રાખી રાસ પીરસતા ઇશા દવે તેમજ માની આરાધનામાં મગ્ન કલાકારો દર્શાય છે.

(3:29 pm IST)