Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોવિદ -19 નિયમોના ભંગ માટે પકડાયેલા તબલીગી જમાતના 20 વિદેશી યાત્રિકો મુક્ત : નિયમોનો ભંગ કર્યાનું પુરવાર થતું નથી : મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટનો ચુકાદો

મુંબઈ : કોવિદ -19  નિયમોના ભંગ માટે પકડાયેલા તબલીગી જમાતના 20 વિદેશી યાત્રિકોને મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે મુક્ત કરતો ચુકાદો આપ્યો છે.જેમાં જણાવાયા મુજબ આ લોકોએ કોવિદ -19 ના નિયમોનો ભંગ કર્યો હોવાનું પુરવાર થતું નથી.

આ યાત્રિકો ઉપર  કેસ દાખલ કરાયો હતો.જે અંતર્ગત અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર આર ખાને  આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓએ કોવિદ - ના નિયમો કે કર્ફ્યુનો ભંગ કર્યો હોવાનું પુરવાર થતું નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ બાંદ્રા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે તબલીગી જમાતના 12 ઈન્ડોનેશિયન યાત્રિકોને મુક્ત કરતો ચુકાદો આપ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:35 pm IST)