Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કોંગ્રેસે પાકના બે ટૂકડા કર્યા એમ પણ પ્રધાનમંત્રીએ પ્રજા સમક્ષ કહેવું જોઇએઃ સિબલ

નવી દિલ્હી : હરિયાણા અને મહારાષ્ટ્રની  ચૂંટણીના પ્રચારોમાં પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંંત્રી અમિત શાહ કલમ ૩૭૦ ના મુદાનો રાજનીતિક લાભ માટે ઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસે  જણાવેલ કે વડાપ્રધાને  જનતા સામે એ પણ જણાવવું  જોઇતુ હતુ કે  કોંંગ્રેસની સરકારે ૭૧ માં  પાકના બે ટૂકડા કર્યા હતા. પક્ષની વરિષ્ઠ નેતા કપિલ સિબલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે  ચૂંટણી આવતા જ મોદીજી અને અમિત શાહજી અસલી મુદાઓ ભુલી જાય છે. કયારેક એનઆરસી અને કયારેક કલમ ૩૭૦ ની વાત કરે છે. કલમ ૩૭૦ થી લોકોના પેટ નહી ભરાય, લોકોને રોજગાર નથી મળવાના.

કોંગ્રેસની સરકારે પાકના બે ટૂકડા કર્યા એમ તેઓ નહી બોલે કારણ કે તેમ કહેવાની  તેઓમાં હિંમત નથી એમ સિબલે કહ્યુ હતુ.

(1:28 pm IST)