Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યામાં નવો વળાંક : બીજેપી નેતા પર ષડયંત્ર રચવાનો પરિજનોએ આરોપ લગાવ્યો

રામ જાનકી મંદિરના કેસને કારણે તેમના પુત્રને નિશાન બનાવાયો: માતાનો આરોપ

 

નવી દિલ્હી : હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે. કમલેશ તિવારીના પરિવારે બીજેપી નેતા પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. કમલેશ તિવારીની માતાએ આરોપ લગાવ્યો કે રામ જાનકી મંદિરના કેસને કારણે તેમના પુત્રને નિશાન બનાવાયો છે.

  એમણે સ્થાનીય નેતાનું નામ લેતા કહ્યું કે તે એક ભૂમાફિયા છે. મારા પુત્ર સામે તેની એક નહોતી ચાલી. આ પહેલા કમલેશ તિવારીના પુત્રે પણ ઘટનાની તપાસ એનઆઇએથી કરાવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે અમને તંત્ર પર ભરોસો નહોતો.

  કમલેશ તિવારીના પુત્ર સત્યમ તિવારીનું કહેવું છે કે તેને નથી ખબર કે જે લોકો પકડાયા છે તેમણે જ મારા પિતાને માર્યા છે અથવા નિર્દોષ લોકોને ફસાવાઇ રહ્યા છે. મૃતકના પુત્રે કહ્યું કે જો આ લોકો જ ખરેખર સાચા ગૂનેગાર છે તથા તેમના વિરુદ્ધ કોઇ વીડિયો પૂરાવા છે તો તેની તપાસ એનઆઇએ (NIA) ને કરવી જોઇએ. સત્યમે આગળ કહ્યું કે જો તેમની તપાસમાં આ સાબિત થઇ જાય છે તો ત્યારે જ તેમણે (પરિવારજનો) ને સંતોષ થશે. તેમણે આગળ કહ્યું, 'મને આ તંત્ર પર કોઇ ભરોસો નથી.'

(12:13 am IST)