Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ખેડૂતોને પાકના નુક્શાનનું વળતર ચુકવશે મોદી સરકાર

પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ પાકના નુકસાનની સેટેલાઇટ દ્વારા તપાસ

નવી દિલ્હી : ખેડૂતોને પાકના નુક્શાનનું વળતર ચૂકવવા મોદી સરકારે તૈયારી શરૂ કરી છે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ પાકના નુકસાનની તપાસ હવે સેટેલાઇટ દ્વારા કરાશે  આના દ્વારા સ્માર્ટ નમૂના લેવામાં આવશે.દેશના 10 રાજ્યોના 96 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે આ માહિતી આપી છે.
  તોમારે જણાવ્યું હતું કે આ વર્ષે (PMFBY) યોજનામાં ફક્ત ડાંગરના પાકની સેમ્પલિંગ કરવામાં આવી રહી છે. રવિ પાક સિઝનમાં અન્ય રાજ્યના બીજા પાક પણ આમા સામેલ કરવામાં આવશે. આ ટેકનીકથી પાકની ઉપજનો સાચો અંદાજ લગાવી શકાય છે. જેનાથી ખેડૂતોને ટૂંક સમયમાં વીમા દાવાની ચુકવણી કરવામાં આવશે. જો કે આ પ્રોજેક્ટને યોગ્ય રીતે અમલમાં લાવવા કૃષિ વિભાગના કર્મચારીઓ ખેતરમાં જઇને અવલોકન કરશે.

(PMFBY)માં લાભ મેળવવા માટે વાવણીના 10 દિવસ અંદર ખેડૂતે (PMFBY)ની અરજી ભરવાની રહેશે.,વીમા નાણાંનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમારા પાકને કોઈ કુદરતી આપત્તિના કારણે નુકસાન થયું હોય.,લણણીની વાવણી વચ્ચે ઉભા રહેલા પાકને કુદરતી આફતો, રોગો અને જીવાતોથી થતાં નુકસાન માટે વળતર. સ્થાયી પાકને લીધે સ્થાનિક આફતો, વાવાઝોડા, ભૂસ્ખલન, વાદળ ફાટવું, વીજળીના નુકસાનને વળતર આપવું.તેમજ  લણણી પછી આગામી 14 દિવસ સુધી ખેતરમાં સૂકવવા માટે રાખવામાં આવતા પાકને થયેલા નુકસાન અને તોફાનને કારણે નુકસાનની ભરપાઇ કરાશે.

ખરીફ પાક માટે 2% અને રવિ પાક માટે 1.5% પ્રીમિયમ ચૂકવવું જરૂરી છે., PMFBY યોજના કોમર્શિયલ અને બાગાયતી પાક માટે વીમા કવર પણ પ્રદાન કરે છે. આમાં ખેડૂતોએ 5% પ્રીમિયમ ચૂકવવું પડશે.લાભ લેવા માટે ખેડૂતનો ફોટો, આઈડી કાર્ડ, એડ્રેસ પ્રૂફ અને ખેતરમાં પાકનો પુરાવો આપવો જરૂરી છે

(12:00 am IST)