Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પંજાબમાં ટ્રેન દુર્ઘટનામાં 60 લોકોના મોત :51 ઘાયલ

પંજાબ સરકારની મૃતકોના પરિવારને 5-5- લાખ અને ઘાયલોને મફત ઈલાજની જાહેરાત:મોદી સરકારે મૃતકોના પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી

 

પંજાબના અમૃતસરમાં જૌડા ફાટકની નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દુર્ઘટનામાં 60 લોકોનાં મોત થયાં છે, જ્યારે 51 ઘાયલ થયા છેપંજાબ સરકાર તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખ અને ઘાયલોનો મફત ઈલાજ કરવાની જાહેરાત કરાઈ હતી. વડા પ્રધાન મોદી તરફથી મૃતકોનાં પરિજનોને રૂ.2 લાખની સહાય અને ઘાયલોને રૂ.50,000ની સહાયની જાહેરાત કરાઈ હતી.

 

(12:00 am IST)