Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

એકલી મોદી લહેરથી ચૂંટણી જીતી શકાતી નથી : વિપક્ષને હળવાશથી લેવો ન જોઇએ

યેદીયુરપ્પાએ પક્ષના નેતાઓને આપી સલાહ : વિકાસ કાર્યોને લઇ પ્રજા પાસે જાવ

બેંગ્લોર તા. ૨૦ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ કહ્યું છે કે, એકલી મોદી લહેરથી રાજ્યની ચૂંટણીને જીતી ન શકાય. તેમણે કહ્યું છે કે, એ ભ્રમમાં રહેવું ન જોઇએ કે આપણે બધા માત્ર મોદીના નામનો ઉપયોગ કરી ચૂંટણી જીતી જઇશું. બની શકે કે, લોકસભાની ચૂંટણી જીતી શકાય પણ રાજ્યમાં આપણે તેમના પર નિર્ભર રહી ન શકીએ. આપણે લોકો પાસે વિકાસ કાર્યોને લઇને જવાનું છે.

યેદીયુરપ્પાએ પક્ષના સાથીદારોને વધુમાં કહ્યું હતું કે, મારૃં એક સૂચન છે અને તે એ છે કે વિપક્ષને કદી હળવાશમાં લેવો ન જોઇએ તેમનું પોતાનું વિશ્લેષણ અને તાકાત છે. તેમણે કહ્યું હતું કે, આપણે વિધાનસભાની ચૂંટણીમાં ૧૪૦ બેઠકો સાથે ભાજપની સત્તા વાપસી માટે પ્રમાણિક પ્રયાસ કરવા પડશે.

(11:46 am IST)