Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાનો કાળો કેર: આજે વધુ 21નાં મોત

રાજકોટ  : વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે . સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ 21 દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે . 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.19નાં સવારનાં 8 વાગ્યાથી તા.20નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 21 દર્દીઓએ દમ તોડી દીધા હતો . 

દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે .

(12:21 pm IST)