Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

હરિયાણામાં કોંગ્રેસની ટીકીટ માટે નેતાઓએ જાહેર કરવું પડશે કે અમે શરાબનુ સેવન નહી કરીએ

     કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણી ટિકીટ માટે આવેદનપત્રમાં નેતાઓએ જાહેર કરવુ પડશે કે  તે ખાદીના કપડા પહેરવાના આદી છે અને શરાબ અને અન્ય નશીલા પદાર્થોનુ સેવન નથી કરતા.

     એમણે ધર્મ અને જાતિના ભેદભાવથી રહિત હોવાની ઘોષણા પણ કરવી પડશે પણ ફોર્મમાં આવેદકની જાતિ પણ પુછવામા આવી છે.

     નેતાઓએ કાનુની તૌર પર  નિર્ધારીત સીમાથી વધારે સંપતિ ન હોવાની ઘોષણા પણ કરવી પડશે.

(10:39 pm IST)