Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

યૌન શોષણ કેસઃ શાહજહાંપુરથી સ્વામી ચિન્મયાનંદની ધરપકડઃ ૧૪ દિવસનો જેલવાસઃ મસાજ પર બોલાવવાની ભૂલ સ્વીકારીઃ કહ્યું શરમ આવે છે

લખનઉઃ રેપના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છેઃ તેમને ૧૪ દિવસ જેલમાં રહેવુ પડશેઃ ચિન્મયાનંદની તેમના ઘરેથી ધરપકડ થઈ હતીઃ પોતાની જ કોલેજની એક છાત્રા ઉપર રેપનો આરોપ હતોઃ તેમણે પોતાની ભૂલ સ્વીકારી છેઃ સીટનો દાવો છે કે ચિન્મયાનંદે પીડીત છાત્રાને મસાજ માટે બોલાવવામાં પોતાની ભૂલ સ્વીકાર કરી છેઃ તેમણે કહ્યુ છે કે, મને મારા કૃત્ય પર શરમ આવે છે

(3:24 pm IST)