Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મુંબઇથી અમદાવાદ આવતી ફલાઇટનું ટાયર ફાટયું : ૧૮૫ મુસાફરોના જીવ અધ્ધર થયા

મુંબઇ એરપોર્ટ પર ટેક ઓફ વખતે બનાવ બન્યો : ઇન્ડિગોની ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે સલામત લેન્ડિંગ થતા મોટી દુર્ઘટના મળી

રાજકોટ : મુંબઇથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફલાઇટનું ટેક ઓફ વખતે ટાયર ફાટતા ફલાઇટમાં સવાર ૧૮૫ મુસાફરોની જીવ અદ્ઘર થઇ ગયા હતા. જોકે પાયલોટે સમયસુચકતા વાપરીને સ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ લઇને ફલાઇટને અમદાવાદ એરપોર્ટ પર જ ઉતારવાનો નિર્ણય લીધો હતો. આ ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ ખાતે સાંજે ૭:૨૧ કલાકે સલામત રીતે લેન્ડિંગ થતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ ફલાઇટનું અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ કરીને નિષ્ણાતોની ટીમ દ્વારા ટાયર ફાટવા અંગેના કારણોની બારીકાઇથી તપાસ હાથ ધરાઇ હતી.

(1:39 pm IST)