Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારમાં પૂ. જીવરાજબાપુને સમાધી અપાઈઃ ભકતજનો ઉમટ્યા

જૂનાગઢઃ સતાધાર આપાગીગા જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા ઘેરોશોક છવાયો છે. આજે સવારથી તેમના પાર્થિવદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં સંતો-મહંતો તથા ભાવિક ભકતજનોએ દર્શન કર્યા હતા. આજે બપોરે તેમના પાર્થિવદેહને પૂ. શામજીબાપુની સમાધીની બાજુમાં સમાધી આપવામાં આવી હતી. આ સમયે પૂ. વિજયબાપુ, પૂ. નરેન્દ્રબાપુ, પૂ. ભારતીબાપુ, પૂ. મુકતાનંદબાપુ, પૂ. શેરનાથબાપુ સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો તેમજ ભકતજનો ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(3:36 pm IST)