Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રાજકોટમાં કોરોના કહેર વધ્યો : નવા ૨૬ કેસ

સૂર્યોદય સોસાયટી, શ્યામલ વાટીકા, ગોકુલ ધામ, આર્યલેન્ડ સોસાયટી, અક્ષરમાર્ગ મેઇન રોડ, કેવડાવાડી, નાલંદા સોસાયટી, અક્ષરનગર, આલાપ ગ્રીન સીટી સહિતનાં વિસ્તારોમાં કોરોના નોંધાયોઃ કુલ કેસ ૬૩૯ થયા

રાજકોટ,તા.૨૦: શહેરમાં કોરોનાનો કહેર વધવા પામ્યો છે. ગઇકાલ ૩૮ કેસ નોંધાયા બાદ આજ બપોર સુધીમાં સૂર્યોદય સોસાયટી, શયામલ વાટીકા, ગોકુલ ધામ, આર્યલેન્ડ સોસાયટી, અક્ષરમાર્ગ મેઇન રોડ, કેવડાવાડી, નાલંદા સોસાયટી, અક્ષરનગર, આલાપ ગ્રીન સીટી સહિતનાં વિસ્તારોમાં વધુ ૨૬ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ ૬૩૯ થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણવ્યા મુજબ શહેરી વિસ્તારમાં તા.૧૯ જુલાઈ સાંજે ૫ કલાકથી તા.૨૦ જુલાઈ બપોરે ૧૨ કલાક સુધીમાં કુલ ૨૬ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત આ મુજબ છે.(૧) ઉષાબેન ભાણવડીયા (ઉ.વ-૪૦), ૪૦૨, કંકાવટી એપાર્ટમેન્ટ, સૂર્યોદય સોસાયટી,(૨) કેતનભાઈ પરમાર (ઉ.વ-૩૭), ૪૦૨-શ્યામલ વાટીકા, (૩) સિધ્ધાર્થ કમાણી (ઉ.વ-૨૮), ન્યુ રામેશ્વર સોસાયટી,(૪) રમેશ કુંજ ગોહિલ (ઉ.વ-૬૦), ગોકુલધામ-૫, બ્લોક નં.-૩૩૩,(૫) દયાબેન વેગડા (ઉ.વ-૫૭), બ્લોક નં-૯૪, આર્યલેન્ડ સોસાયટી, જીવરાજ પાર્ક ગેઈટ પાસે,નાના મવા રોડ,(૬) સંજયભાઈ પ્રાણજીવનભાઈ લાખાણી (ઉ.વ-૫૧), પંચવટી સોસાયટી, અક્ષર માર્ગ મેઈન રોડ (૭) હાર્દિક દિનેશ (ઉ.વ-૩૧), કેવડાવાડી (૮) કોકીલ જયેન્દ્ર (ઉ.વ-૪૫), જીવણનગર-૩, બંધ શેરી, હનુમાન મંદિર શેરી (૯) વિઠ્ઠલભાઈ વાછાણી (ઉ.વ-૫૫), ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક,(૧૦) ગીરીશભાઈ વાછાણી (ઉ.વ-૫૫), ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક,(૧૧) નશીલ વાછાણી (ઉ.વ-૨૯), ૬૦૧-સ્વસ્તિક એપાર્ટમેન્ટ, નાલંદા સોસાયટી, શેરી નં.-૩, કોટેચા ચોક,(૧૨) બીપીનકુમાર ઘોડાસરા (ઉ.વ-૪૭), ૩૦૨-કેશરી નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યુ પાછળ, યુનિવર્સિટી રોડ, (૧૩) દર્શનાબેન પાટડિયા (ઉ.વ-૪૧),બ્લોક નં.-ડી-૪૬, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ, (૧૪) નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ-૬૧), આશાપુરા અક્ષરનગર, ૮૦ ફુટ રોડ, આશાપુરા મંદિર પાછળ, ગાંધીગ્રામ,(૧૫) મંજુલાબેન ઈલા (ઉ.વ-૫૫), નાના મવા મેઈન રોડ, અમૃત ક્રેડીટ સહકારી સોસાયટી પાસે, (૧૬) ચંદુલાલ અમૃતલાલ ફીચડીયા (ઉ.વ-૬૯), ૬/૧૨ જયરાજ પ્લોટ,(૧૭) નિર્મળાબેન સૂર્યકાંતભાઈ આડેસરા (ઉ.વ-૬૪), નિકુંજ નિવાસ-૫, જયરાજ પ્લોટ, સંતોષ ડેરી પાસે,(૧૮) સુભાષચંદ છગનલાલ ગોધાણી (ઉ.વ-૫૫), ૭૦૨-એકલવ્ય એપાર્ટમેન્ટ, ૭ મો માળ, બંસી પાર્ક પાસે, અમીન માર્ગ, (૧૯) વૈશાલીબેન ભવાનકુમાર રાવલ (ઉ.વ-૪૬),ધનંજય-૨, રાવલનગર મેઈન રોડ, રૈયા રોડ (૨૦) રવિ ધીરજલાલ બોદર (૩૫),સત્યા પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ, હેમાબેન ધીરુભાઈ બોદર (ઉ.વ-૫૮),સત્યા, પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ, જાગૃતિબેન મનીષ મહેતા (ઉ.વ-૪૫), પ્રદ્યુમ્નનગર,(૨૩) રશ્મીકાંત ચમનભાઈ (ઉ.વ-૬૫), વર્ધમાનનગર,(૨૪) રેતુલ ચંદ્રકાંત શાહ (ઉ.વ-૫૯), શરદ કુંજ, પંચનાથ પ્લોટ-૧૭,(૨૫) કિશોરભાઈ દેદાણીયા (ઉ.વ-૫૫), સત્યા, પર્ણકુટી સોસાયટી-૮/૨, નાના મવા રોડ, (૨૬) સતીશ અમરશી સોલંકી (ઉ.વ- ૭૧), ૨૫૬-બી, નરસીંગનગર, આર.ટી.ઓ. ઓફીસ, રાજકોટનો સમાવેશ થાય છે.

(2:53 pm IST)