Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભોજન બાદ સ્નાન સાબિત થઇ શકે છે જીવલેણઃ આયુર્વેદ પણ ઇન્કાર કરે છે

નવી દિલ્હી, તા.૨૦: ઘણી વખત લોકો ડિનર કર્યા બાદ અને સુતા પહેલા શોવર લેતા હોય છે. તે ઉપરાંત લોકડાઉનનાં મધ્યે ઘરેથી કામ કરી રહેલા લોકોનાં રૂટીનમાં પણ અનેક સારા અને ખરાબ પરિવર્તન આવે છે. એવામાં વહેલા મોડા નહાવું અને અનેક વખત ભોજન બાદ નહાવા જેવી આદતોનો પણ સમાવેશ થઇ ચુકયો છે. જો કે ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી  સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો કયારેક એવું ઉલ્ટું કામ નહી કરે.

ભોજન લીધા બાદ નહાવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે. એવામાં તેને નિયંત્રીત કરવા માટે શરીરને બાકી હિસ્સા જેવો હાથ, પગ, ચહેરો વગેરેમાં લોહીનો પ્રવાહ વધારી દેય છે. જેના કારણે અસહજતા હોય છે. તે ઉપરાંત પેટની આસપાસનું લોહી, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે તે નહાવાના કારણે ઘટેલા તાપમાનને સંતુલીત કરવા માટે શરીરના અન્ય હિસ્સાઓમાં પ્રવાહ કરવા લાગે છે. તેને ખાવાનું સારી રીતે પચી નથી શકતું પછી તે પચવામાં વધારે સમય લે છે. હોજરીને ફરી ગરમ કરવામાં લાંબો સમય લાગે છે. જેના કારણે મગજ સહિતના અન્ય હિસ્સાઓમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. જેથી ઘણી વખત મગજ ઓછુ લોહી પહોંચતા જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

શરીરનાં તાપમાનને ઘટતું અટકાવવા માટે કેટલાક લોકો તર્ક આપે છે કે, ગરમ પાણીથી નહાવામાં આવે. પરંતુ તે નુકસાનકારક છે કે, કારણ કે ગરમ પાણીથી નહાવાથી રકત વાહીનીઓ શરીરને ઠંડી કરવાનાં ક્રમમાં ફેલાઇને રકતની ઉષ્માને ત્વચા સુધી નહી પહોંચાડી શકે. એવામાં વાહીઓનું લોહી બીજા કામમાં પ્રયોગ થશે અને આપણા મગજને પુરતુ લોહી નહી મળવાના કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે.

(10:35 am IST)