Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દત્તક લીધેલા વારાણસીના ચારેય ગામોમાં મોદીએ પોતાની સાંસદ નીધિનું ફદિયું'ય વાપર્યુ નથી

આરટીઆઇમાં થયો ખુલાસો

નવી દિલ્હી તા.૨૦: પીએમ મોદીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વારાણસીના દત્તક લીધેલા ચારેય ગામડાઓમાં સાંસદ નીધિનો એકપણ પૈસો વાપર્યો નથી આ બાબતનો ખુલાસો આરટીઆઇ હેઠળ થયો છે.

જીલ્લા ગ્રામ્ય વિસ્તાર ઓથોરીટી દ્વારા જારી પત્ર સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ વિપક્ષે આ બાબતને મુદ્દો બનાવી ભાજપ અને પીએમ મોદી ઉપર પ્રહારો કર્યા હતા.

કનૌજમાં રહેતા અનુજ વર્માએ પીએમ દ્વારા દત્તક લેવાયેલા ગામો અંગે આરટીઆઇ હેઠળ માહિતી માંગી હતી. જેમાં ૨૦૧૪માં મોદીએ દત્તક લીધેલા ગામ માટે પીએમની સાંસદ નીધિમાંથી કયારે અને કેટલો રૂપિયો વપરાર્યો હતો.

જેના જવાબમાં જણાવાયું હતું કે સાંસદ નીધિથી કોઇ વિકાસ થયો નથી કોંગ્રેસે સાંસદ આદર્શ ગ્રામ યોજનાને જુમલા યોજના ગણાવી છે.(૭.૬)

(10:47 am IST)