Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

દેવગૌડા ફરીથી બની શકે વડાપ્રધાન : માયાવતી અને મમતા બેનર્જી પણ પીએમ બનવા યોગ્ય : કુમારસ્વામી

ભાજપ સાથે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ગઠબંધન નહિ કરાય

બેંગ્લુરુ :કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના પિતા એચ.ડી.દેવગોડા પણ દેશના આગામી વડાપ્રધાન બની શકે છે.કુમારસ્વામીનુ કહેવુ છે કે 2019માં જો ભાજપ વિરોધી ગઠબંધન સરકાર આવી તો તેમના પિતા એચડી દેવગોડા ફરીથી દેશના વડાપ્રધાન પદના દાવેદાર બની શકે છે

   એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે દેશમાં કંઈ પણ થઇ શકે, આ લોકશાહી છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ આગામી વડાપ્રધાન બનવા માટે યોગ્ય છે.

 મુખ્યપ્રધાન કુમારસ્વામીએ ભવિષ્યમાં ભાજપની સાથે કોઇ પણ પ્રકારના ગઠબંધન માટે ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, આવુ ક્યારેય થશે નહીં. વર્ષ 2006માં તેમણે તેમના પિતા વિરુદ્ધ કામ કર્યુ હતું અને તેની સેક્યુલર વિચાર પણ પ્રશ્નો ઉભા થયા હતાં. આ તેમની રાજકીય કારકિર્દી પર કલંક સમાન હતું.

(12:00 am IST)