Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે : ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફરી દોડશે ટ્રેન : 29 મે 2022 થી મૈત્રી એક્સપ્રેસ ઢાકાથી મુસાફરી શરૂ કરશે અને બંધન એક્સપ્રેસ કોલકાતાથી ઢાકા જશે : કોવિડ રોગચાળાને કારણે છેલ્લા 2 વર્ષથી બંધ હતી : બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશને માહિતી આપી

 

ઢાકા : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશને માહિતી આપી છે કે બંને દેશો વચ્ચે 29 મેથી રેલ સેવા શરૂ થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીને કારણે બંને દેશો વચ્ચે રેલ સેવા લગભગ બે વર્ષથી બંધ હતી. બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશને માહિતી આપી છે કે બંને દેશો વચ્ચે 29 મેથી રેલ સેવા શરૂ થશે.બંને દેશો વચ્ચે ત્રણ નવી ટ્રેનો દોડાવવામાં આવશે

ઢાકા અને કોલકાતા વચ્ચેની મૈત્રી એક્સપ્રેસ અને કોલકાતા અને ખુલના વચ્ચે બંધન એક્સપ્રેસ 29 મે 2022 ના રોજ ફરી શરૂ કરવામાં આવશે. મૈત્રી એક્સપ્રેસ ઢાકાથી તેની મુસાફરી શરૂ કરશે અને બંધન એક્સપ્રેસ કોલકાતાથી તેની મુસાફરી શરૂ કરશે.

મૈત્રી એક્સપ્રેસ અને ઢાકા એક્સપ્રેસની સાથે બીજી નવી ટ્રેન શરૂ થવા જઈ રહી છે. નવી જલપાઈગુડીથી ઢાકા વચ્ચે 1 જૂનથી નવી ટ્રેન શરૂ થશે. અહેવાલો અનુસાર, બંને દેશોના રેલ્વે મંત્રીઓ મિતાલી એક્સપ્રેસને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કરશે.

કોવિડ રોગચાળાને કારણે રેલ સેવા 2 વર્ષથી બંધ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટ્રેન સેવાઓ માર્ચ 2020 માં COVID-19 ના ફેલાવા સામે સાવચેતી તરીકે સ્થગિત કરવામાં આવી હતી. જોકે તે સ્પષ્ટ નથી કે મૈત્રી એક્સપ્રેસ, બંધન એક્સપ્રેસ અને મિતાલી એક્સપ્રેસ અઠવાડિયામાં કેટલા દિવસ દોડશે પરંતુ મૈત્રી એક્સપ્રેસ કોલકાતા અને ઢાકા વચ્ચે અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:56 am IST)