Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

કાલથી દિલ્હી-એનસીઆરના હવામાનમાં પલટો :ઝડપી આંધી અને વરસાદની આગાહી

નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, સોનીપતમાં હળવો વરસાદ થઈ શકે

નવી દિલ્હી ;કાલથી દિલ્હી એનસીઆરના હવામાનમાં પલટો આવશે હવામાન વિભાગ મુજબ તા,21થી દિલ્લી અને એનસીઆરનું તાપમાન ફરીથી બદલાઈ શકે છે. આ દરમિયાન ઝડપી આંધી આવી શકે છે અને વરસાદ પડવાનું અનુમાન છે

  . આ પહેલા વિભાગે કહ્યુ હતુ કે પશ્ચિમી વિક્ષેપ (western disturbance) સક્રિય થઈ ચૂક્યુ છે. આ દરમિયાન ધૂળ ભરેલી આંધી આવશે અને ગાજવીજ સાથે વાદળો પણ વરસશે. રાજધાની દિલ્લી સાથે એનસીઆરના શહેરો નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, સોનીપતના અલગ અલગ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો અને લોકોને ગરમીમાંથી રાહત મળશે.

(11:38 am IST)