Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

રાયબરેલીની મુસ્લિમ મહિલાનો વાનર પ્રેમ : વાનરના નામે કરી બધી સંપતી : વાનરના મૃત્યુ બાદ બનાવડાવ્યું ઘરમાં મંદિર

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યે અનોખા પ્રેમની કહાણી સામે આવી છે. આ કહાણીમાં સૌથી મોટું પાત્ર ચુનમુન (વાંદરો)નું છે. ચુનમુનના કારણે એક મહિલાના ખોળામાં એટલી બધી ખુશીઓ આવી ગઈ કે તેણે પોતાની બધી સંપત્તિ પાળતુ વાનરના નામે કરી દીધી. ચુનમુનનું પાછલા વર્ષે જ મૃત્યુ થઈ ગયું, તો મહિલાએ ઘરમાં જ તેનું મંદિર બનાવડાવી દીધું. પાછલા મંગળવારે મંદિરમાં રામ-લક્ષ્મણ અને સીતા સાથે વાનરની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ. આ અવસરે ભંડારો પણ કરાયો. મહિલાએ પોતાના ઘરનું નામ વાનરના નામ પર રાખ્યું છે.

રાયબરેલીના શક્તિનગર નિવાસી કવયિત્રી સબિસ્તાને આ વાનર લગભગ 13 વર્ષ પહેલા મળ્યો હતો. સબિસ્તા માનતી હતી કે ચુનમુનના આવ્યા બાદ તેની જિંદગી બદલાઈ ગઈ હતી. ચુનમુન તેના માટે ભાગ્યશાળી સાબિત થયો. સાબિસ્તા મુસ્લિમ છે, તેમ છતાં તેણે પોતાના ઘરમાં મંદિર બનાવડાવ્યું. તેણે 1998માં બ્રજેસ શ્રીવાસ્તવ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેનું કોઈ સંતાન નથી.

સબિસ્તાના જણાવ્યા અનુસાર, જ્યારે મે બ્રિજેશ સાથે પ્રેમ લગ્ન કર્યા તો સમાજે અમારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું. કામકાજ બંધ થઈ જવાથી અમારા પર દેવું વધતું રહ્યું. મનની શાંતિ માટે અમે હિન્દુ ધર્મગ્રંથોને વાંચવા લાગ્યા. સાધુ-સંતોના શરણમાં જવા લાગ્યા. આ વચ્ચે 1લી જાન્યુઆરી 2015એ ચુનમુન અમારા નાના ઘરનો મહેમાન બન્યો. તેણે કહ્યું કે, જ્યારે અમે એક મદારી પાસેથી ચુનમુનને લીધો, ત્યારે તેની ઉંમર ત્રણ મહિનાની હતી. ચુનમુન અમારા માટે ભાગ્યશાળી સાબિત થયો. તેના આવ્યા પછી અમારું બધું દેવું ચુક્તે થઈ ગયું અને પૈસા પણ ખૂબ આવ્યા.

સાબિસ્તાએ વાનરની સારી રીતે દેખરેખ કરી. ઘરના ત્રણ રૂમ તેના માટે ખાસ રીતે રાખવામાં આવ્યા હતા. ચુનમુનના રૂમમાં એસી અને હીટર પણ લાગેલું હતું. 2010માં શહેરની આસપાસ છજલાપુર નિવાસી અશોક યાદવ ત્યાં રહેલી વાંદરી સાથે તેના વિવાહ પણ કરાયા હતા. સબિસ્તા મુજબ તેનું કોઈ સંતાન નહોતું. આથી તેણે ચુનમુનને પોતાનો દીકરો માની લીધો. ચુનમુન નામથી એક સંસ્થા બનાવી અને બધી જ સંપત્તિ તેના નામ પર કરી દીધી.

(12:00 am IST)