Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

છત્તીસગઢમાં કોરોનાનો વધતો કહેર : નવા 13834 કેસ નોંધાયા : વધુ 165 લોકોના મોત

રાયપુરમાં 2378 કેસ, દુર્ગમા 1761 કેસ નોંધાયા : રાજ્યમાં વધુ 11815 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

છત્તીસગઢમાં ગત 24 કલાકમાં 13834 નવા દર્દી મળ્યા છે. આ દરમિયાન 165 લોકોના મોત થયા છે. રાજધાની રાયપુરમાં 2378 નવા દર્દી મળ્યા છે. સૌથી વધારે દર્દી મળવા પર દુર્ગ બીજા નંબર પર છે. આ ગત 24 કલાકમાં 1761 નવા દર્દી મળ્યા છે. આ દરમિયાન પ્રદેશમાં 11815 લોકો સાજા થયા છે.

રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 1 લાખ 29000 છે. કુલ પીડિતોની સંખ્યા 5 લાખ 58 હજાર 674 છે. કોરોનાથી અત્યાર સુધીમાં 6083 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 423591 દર્દી સાજા થયા છે.

(11:45 am IST)