Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પાકિસ્તાનમાં એક વધુ સગીર હિન્દુ યુવતિનું અપહરણઃ નયના નામક હિન્દુ યુવતિનું ધર્માંતર કરાવી નૂર ફાતિમા નામ રાખી દીધું: યુવતિના પિતા રઘુરામએ પોલીસ ફરિયાદ નોંધાવીઃ હિન્દુ સમુહના સરકાર વિરૂદ્ધ દેખાવો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા રહીમ યાર ખાનમાંથી એક હિન્દુ સગીર યુવતિ નયનાનું ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજ અપહરણ કરાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જેના વિરોધમાં હિન્દુઓ દ્વારા દેખાવો થઇ રહ્યા છે તથા પોતાની પુત્રીને સલામત રીતે પાછી અપાવવા માટે યુવતિના પિતા રઘુ રામએ પાંચ એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી છે.

અપહૃત યુવતિના પિતાએ કરેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તાહિર તામરી નામક એક વગદાર વ્યકિતએ ૬ માણસોની મદદથી પોતાની પુત્રીનું અપહરણ કર્યુ છે. જેઓએ નયનાને કરાંચી લઇ જઇ ધર્માંતર કરાવી તેનું નામ નૂર ફાતિમા રાખી દીધું છે. જેને અપહરણ કર્તાઓના તાબામાંથી મુકત કરાવવા દેખાવો કરવાનું ચાલુ છે.

(4:34 pm IST)