Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો એસપી અને બીએસપી વધુ ત્યાગ કરવા તૈયાર :બેઠક છોડી દેશે,

ફક્ત બ્રાહ્મણ જ નહિ,મુસ્લિમ અને ગંગા યાત્રા પછી નિષાદ સમુદાય ઉપર પણ કોંગ્રેસનો આધાર

કૉંગ્રેસના મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના ઇનચાર્જ પ્રિયંકા ગાંધી વારાણસીથી વડા પ્રધાન  મોદી સામે ચૂંટણી લડી શકે છે. પ્રિયંકાના ભાઈ કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, પતિ રોબર્ટ વાડ્રા અને સામ પિત્રોડાએ પણ આ શક્યતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે પૂર્વાંચાલની ચાર સંસદીય બેઠકોમાં ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ વારાણસી બેઠક પર હજું રહસ્ય બરકરાર છે.

   અત્યાર સુધીમાં એસપી-બીએસપીએ આ બેઠક પર એક પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્રકારે એવો પ્રશ્ન ઊભો થયો છે કે જો પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડશે તો શું એસપી અને બીએસપી એ જગ્યા ખાલી છોડી દેશે, જેમ રાહુલ ગાંધી અમેઠી અને સોનિયા ગાંધી માટે રાયબરેલી બેઠકોને ખાલી છોડી છે.

   વારાણસી સીટ પરનો છેલ્લો તબક્કો એટલે કે એક મહિના પછી 19 મેના રોજ મતદાન યોજાશે. 29 એપ્રિલના રોજ નોમિનેશન શરૂ થશે. જ્યારે રદ્દ કરવાની છેલ્લી તારીખ 2મે છે. આવી પરિસ્થિતી જોવા માટે હવે વધુ સમય બાકી નથી

 . સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસથી વારાણસીમાં વંશીય અને રાજકીય સમીકરણોની ભરતીમાં વ્યસ્ત રહી છે. ફક્ત બ્રાહ્મણ જ નહિ, પરંતુ મુસ્લિમ અને ગંગા યાત્રા પછી નિષાદ સમુદાય પણ કોંગ્રેસને મતદાન બેંકમાં ઉમેરવાનું વિચારી રહી છે.

(12:55 pm IST)