Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મોદીને ઘેરવા રાહુલનો માસ્ટર પ્લાનઃ દલિત, ખેડૂતો અને યુવાનોને એક કરશે

નવી દિલ્હી તા. ૨૦ : ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના સંગ્રામનો શંખનાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ મહાઅધિવેશનમાં કાર્યકર્તાઓ સામે જ કરી દીધો હતો. હવે ૨૦૧૯ માટે ત્રિસૂત્રીય રણનીતિની સાથે આની વિધિવત શરૂઆતનો નિર્ણય કરવામાં આવ્યો છે. દલિત, ખેડૂત અને યુવાનોને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ દ્વારા મોદી સરકારને ઘેરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધી ૨૩ એપ્રિલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં બંધારણ બચાવો અભિયાનની શરૂઆત કરશે.ઙ્ગ બાદમાં ૨૯ એપ્રિલના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં દલિત, ખેડૂત અને યુવાનોની જનાક્રોશ રેલીનું પણ આયોજન થવાનું છે. આ બંને કાર્યક્રમોનું નેતૃત્વ રાહુલ ગાંધી કરવાના છે.(૨૧.૧૨)

(11:53 am IST)