Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૧ એપ્રિલથી તમારા પર લાગશે આ નવો ટેકસ, PAN નંબર આપશો નહી તો ચૂકવવો પડશે બમણો TAX

જો કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે, તેમાં સેકશન 206Cમાં વિદેશ યાત્રા TCS લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેકસ લાગશે

નવી દિલ્હી, તા.૨૦: પરમેનેન્ટ એકાઉન્ટ નંબર એટલે PAN નાણાકીય ટ્રાંજેકશન માટે એક અનિવાર્ય ડોકયુમેન્ટ છે. પરંતુ જો કોઇ કહે કે પાન કાર્ડ વિના હવે તમે વિદેશયાત્રા કરી શકશો નહી અથવા તો ફરવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે તો શું તમે સાચું માનશો. ભલે પાનકાર્ડનું વિદેશ યાત્રા સાથે શું લેવા-દેવા? પરંતુ આ વાત સો ટકા સાચી છે! જોકે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ફાઇનાશિયલ બિલમાં એક પ્રપોજલ આપ્યું છે. તેમાં સેકશન 206C માં વિદેશ યાત્ર TCS લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ પાન નંબર નથી તો તેના પર બમણો ટેકસ લાગશે.

દેશમાં ઇનકમ ટેકસ ચૂકવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, તો બીજી તરફ મોંદ્યી કાર ખરીદનાર અને વિદેશ યાત્રા કરનારાઓનો આંકડો ખૂબ મોટો છે. હવે સરકાર ઇનકમ ટેકસ નહી ચૂકવનાર અને બેખૌફ ખર્ચ કરનાર લોકો પર લગામ કસવાની તૈયારી કરી રહી છે. ૧ એપ્રિલ બાદથી કેન્દ્ર સરકાર વિદેશ યાત્રાના કુલ પેકેજ પર ટીસીએસ લગાવશે. વિદેશી ટૂર પેકેજ પર ટેકસ લગાવવાથી સરકારી ખજાનામાં મોટી રકમ આવી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના શરૃઆતથી વિદેશ યાત્રા પર પાંચ ટકા ટેકસ ચૂકવવો પડી શકે છે.

ફાઇનાન્સ બિલના નવા નિયમો અનુસાર વિદેશ યાત્ર પર ખર્ચ થતાં કુલ પેકેજ પર ૫ ટકા ટેકસ કલેકશન એટ સોર્સ (TCS)અલગથી ચૂકવવા પડશે. તો બીજી તરફ એક જોગવાઇ એ છે કે ટૂર પેકેજ લેનાર પાસે જો PAN નંબર નથી તો તેને કુલ પેકેજ પર ૧૦ ટકા TCS ચુકવવો પડશે. એટલે કે પેન નંબર નહી હોય આ ટેકસ ચૂકવવો પડશે. સરકારી આંકડા અનુસાર દેશમાં ૧.૫ કરોડ લોકો ટેકસ ચૂકવવો પડે છે, જયારે ત્રણ કરોડ લોકો વર્ષમાં વિદેશ યાત્રા કરે છે.

પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર હાલના નાણાકીય વર્ષમાં ૫ કરોડ ભારતીય વિદેશ ફરવા જઇ શકે છે. જોકે સરકારનો પ્રયત્ન છે કે ટીસીએસની નવી વ્યવસ્થાથી વિદેશ યાત્રાના નામે કાળાનાણાનો ઉપયોગ કરનારાઓ પર નજર રાખવામાં આવી શકે છે. ટેકસ અધિકારીઓના અનુસાર વર્ષમાં દ્યણીવાર વિદેશ યાત્રા કર્યા બાદ પણ લોકો સરકારને પોતાની યાત્રા વિશે જાણકારી આપતા નથી.

જો કોઇ ટૂર પેકેજનો ખર્ચ ૧ લાખ રૃપિયા છે તો તમને અલગથી ૫૦૦ રૃપિયા તરીકે વ્ઘ્લ્ ચૂકવવા પડશે. ટૂર એન્ડ ટ્રાવેલ કંપની તેને પેકેજથી અલગ ચાર્જ કરવા પડશે. વ્ઘ્લ્ ની રકમ સરકારી ખજાનામાં જશે. જોકે ઇનકમ ટેકસ રિટર્ન (આઇટીઆર) ભરતી વખતે ટીડીએસઈ રકમને રિફંડ માટે કલેમ કરી શકાય છે. તેના માટે આઇટીઆરમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરવો પડશે. 

ITRમાં કરવો પડશે વિદેશ યાત્રાનો ઉલ્લેખ

કેન્દ્ર સરકારે પોતાની આવક બતાવનાર લોકો આઇટીઆરમાં વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરવાથી બચે છે. જો કોઇ વ્યકિત ટૂર પેકેજ લેતુ નથી, પરંતુ પોતાના વિદેશ જવાની ટિકીટ લે છે અને રહેવાની વ્યવસ્થા કરે છે તો તેને ટીસીએસ ચૂકવવો નહી પડે. ટીસીએસ કપાતા જ ઇનકમ ટેકસ વિભાગની પાસે એલર્ટ જતું રહેશે. સરકારના આ નિર્ણયની અસર સરકારી અને પ્રાઇવેટ કંપનીઓના અધિકારીઓ પર પણ થશે. કારણ કે વ્યવસ્થા ભલે કોઇ પણ કરે, પરંતુ TCS પોતે એમ્લોઇને જ ચૂકવવા પડશે.

(4:40 pm IST)