Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આજથી બેન્કો ૪ દિન સુધી બંધ હશે : રિપોર્ટ

લોકોને મુશ્કેલી પડી શકે

નવીદિલ્હી, તા. ૨૦ : આવતીકાલે ધુળેટી પર્વ પર બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત આગામી ચાર દિવસ સુધી હવે બેંકોમાં રજા રહેશે. આજે ૨૦મી માર્ચના દિવસે પણ હોળીના પ્રસંગે ઉત્તરપ્રદેશ, બંગાળ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તરાખંડમાં બેંકોમાં રજા રહી હતી. આવતીકાલે ધુળેટીના દિવસે જાહેર રજા છે. ૨૨મી માર્ચના દિવસે બિહારમાં બેંકો બંધ રહેશે. ૨૩મી માર્ચના દિવસે ચોથો શનિવાર હોવાથી બેંકો બંધ રહેશે. ૨૪મી માર્ચના દિવસે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. આનો મતલબ એ થયો કે, બેંકોમાં ચાર દિવસની રજા હોવાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી શકે છે.

(6:51 pm IST)