Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વસંત પંચમી - શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે SGVP અમદાવાદના ઉપક્રમે વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું : 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજીના મધુર કંઠે યુ ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી  : વસંત પંચમી -  શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે ભગવાન શ્રી રામ ઘનશ્યામ મહારાજના 16 માં પાટોત્સવ પ્રસંગે  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ ( SGVP )  ના ઉપક્રમે વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું હતું.

જેનું 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિય દાસજીના મધુર કંઠે યુ ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું.જેનો સમય સાંજે 8 વાગ્યે ( ist ) તથા સવારે 9-30 ( est ) કલાકે રાખવામાં આવ્યો હતો.જેનું ફેસબુક તથા યુ ટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.તેવું SGVP કેનેડાની યાદીમાં જણાવાયું છે.

(7:17 pm IST)