Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ગૃહ નિર્માણ હેઠળ ૧૨૫૦૦ કરોડની જંગી જોગવાઈ થઈ

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ૪૫૪૦ કરોડ : માર્ગ-મકાનના કામો માટે કુલ ૯૨૫૨ કરોડની જોગવાઇ રસ્તાઓ તેમજ પુલો માટે રૂપિયા ૧૩૪૬ કરોડ ખર્ચાશે

અમદાવાદ,તા. ૨૦ : નાણાંમંત્રી દ્વારા તેના વિકાસના એજન્ડાને આગળ ધપાવવા રાજયના વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ માટે રૂ.૧૨,૫૦૦ની ખાસ જોગવાઇ કરાઇ છે.  જેમાં સ્વર્ણજયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૪૫૪૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો બીજીબાજુ, માર્ગ અને મકાનવિભાગના પ્રોજેકટ્સ માટે રૂ.૯૨૫૨ કરોડની સારી એવી જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજયના વિવિધ રસ્તાઓ અને પુલો માટે રૂ.૧૩૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજયના શહેરી વિકાસ અને ગૃહનિર્માણના કાર્યો અને પ્રોજેકટ માટે જે મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે, તેમાં આંતર માળખાગત સવલતો અને સુવિધાઓ માટે રૂ.૨૯૧૨ કરોડ ફાળવાયા છે, તો પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજના સહિતના કામો માટે રૂ.૧૨૬૪ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ સિવાય અમદાવાદ શહેરના મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે રૂ.૫૯૨ કરોડની વધારાની જોગવાઇ કરવામાં આવી છે. તો રાજયના છ મોટા શહેરોમાં સ્માર્ટ મીશન સીટીના આયોજન માટે પણ રૂ.૫૯૭ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય રાજયમાં શહેરી આવાસ યોજનાઓને આકાર આપવા રૂ.૧૧૮૯ કરોડ ફાળવાયા છે. તો, અમૃત યોજના માટે રૂ.૫૦૦ કરોડ અને સ્વચ્છ ભારત મીશન માટે રૂ.૨૫૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજયમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી અને વિવિધ પ્રોજેકટના ભાગરૂપે રૂ.૯૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.૨૫૧૬ કરોડ ફાળવાયા છે તો, રાજયના વિવિધ રસ્તાઓ અને પુલોની યોજના માટે રૂ.૧૩૪૬ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજયમાં આ વખતે પ્રગતિપથના  માર્ગોને ચાર માર્ગી(ફોર લેન) બનાવવા માટે રૂ.૧૮૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો, અમદાવાદ-રાજકોટ હાઇવેને સિક્સ લેન(છ માર્ગીય) બનાવવા માટે કુલ રૂ.૨૭૫૪ જેટલી જંગી રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ સિવાય રાજયમાં મુખ્ય જિલ્લાના માર્ગોને પહોળા કરવા અને વિસ્તારવા માટે રૂ.૧૦૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જયારે વિશ્વ બેંક સહાયિત પ્રોજેક્ટ્સને સાકાર કરવા રૂ.૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગૃહ નિર્માણમાં શું છે....

         અમદાવાદ, તા. ૨૦ : શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ હેઠળ ૧૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ઘરનું ઘર મળે તે માટે ખાસ ભાર મુકાયો છે. ગૃહ વિભાગ હેઠળ જોગવાી નીચે મુજબ છે.

*        ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રહેવા ઘરનું ઘર મળે તે માટે આયોજન

*        સુવર્ણ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૪૫૪૦ કરોડ અપાયા

*        ભૌતિક અને સામાજિક આંતર માળખાકીય સુવિધા અને અન્ય કામો માટે ૨૯૧૨ કરોડની જોગવાઈ કરાઈ

*        પાણી પુરવઠા અને ભૂગર્ભ પાણી યોજના માટે ૧૨૬૪ કરોડ રૂપિયા આપાયા

*        શહેરી વિસ્તારોમાં જાહેર માળખાકી સુવિધા વધારવા પર ભાર

*        ટ્રાફિકની સમસ્યા વધુ સરળ કરાશે

(8:46 pm IST)