Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક પર્વમાં આતંકી હુમલાની ચેતવણીથી ભય

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૦ પ્રજાસત્તાક પર્વ જેમ-જેમ નજીક આવે છે તેમ-તેમ જમ્મુ કાશ્મીરમાં ચિંતાના વાદળા છવાયા છે.

આતંકી હુમલાનો ખતરો ફરત પાકિસ્તાન સાથે જોડાયેલ સરહદો ઉપર જ નહી પરંતુ પ્રદેશની અંદર પણ આતંકી હુમલાના ખતરાના ભયથી સુરક્ષા દળો અને સામાન્ય જનતાની નિંદર હરામ થઇ ગઇ છે.

વાહનોથી વધુ પગપાળા જનારા લોકોની પણ તલાશી લેવાના કારણે લોકોમાં ગુસ્સો છવાયો છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકી હુમલા સામે સુરક્ષા ટીમો સજજ છે. જયારે પાકિસ્તાન સેના એલઓસી ઉપર ભારતય સરહદ અને સીમા ઉપર હુમલા મટે એકશન ટીમોને સક્રિય કરી દીધી છે.

(4:49 pm IST)