Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ઉદ્વવ ઠાકરેની વિનંતીને માન આપીને બેમુદતી શિરડી બંધનું એલાન મધરાતથી પાછું ખેંચાયું

આજથી શહેરમાં જનજીવન રાબેતા મુજબ

શિરડીઃ  શીરડીના સાંઈબાબાનાં જન્મસ્થાન અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ કરેલા નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ઘ યાત્રાધામ શિરડી શહેરમાં શનિવાર મધરાતથી 'શિરડી બંધ'નો આરંભ કરાયો હતો પરંતુ એલાન કરનાર શિર્ડી ગ્રામ સભાએ હવે બંધને પાછો ખેંચી લીધો છે. ઉદ્ઘવ ઠાકરેની વિનંતીને માન આપીને બંધને  રવિવાર મધરાતથી પાછો ખેંચી લેવામાં આવશે. આજથી શહેરમાં જનજીવન રાબેતા મુજબનું થઈ જશે.

સાઈબાબાનું જન્મસ્થાન પરભણી જિલ્લાના પાથરી ગામ હોવાનું અને તેના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી રૂ. ૧૦૦ કરોડની સહાયતાની ઉદ્ઘવ ઠાકરેએ જાહેરાત કરતાં શિર્ડી નગરનાં રહેવાસીઓ નારાજ થયા હતા અને શિર્ડી બંધનું એલાન કર્યું હતું. જો કે આ બંધ દરમિયાન સાઈબાબાનાં દર્શન ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ મૂકાયો નહોતો. મંદિર ખુલ્લું જ રખાયેલ અને શ્રદ્ઘાળુઓને દર્શન કરવા મળી રહ્યાં છે.

(1:06 pm IST)