Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

અમે બે બાળકોના કાયદાની વાત કરી નથીઃ જનસંખ્યા અંગે નીતિ બનાવી જોઈએઃ મોહન ભાગવતજીની સ્પષ્ટ વાત

જનસંખ્યા નિયંત્રણ માટે બધાનું મન જાણીને કાયદો થવો જોઇએ અને બધા ઉપર લાગુ થવો જોઇએ

બરેલી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્યના સરસંદ્યચાલક ડો. મોહન ભાગવત બરેલી પહોંચ્યા હતા. શ્રી મોહન ભાગવતે ભવિષ્યના ભારત પર સંદ્યના દ્રષ્ટિકોણ પર વ્યાખ્યાન કરતા જનસંખ્યા પર મીડિયામાં ચાલી રહેલી ખબરોનું ખંડન કર્યું હતું. તો પરોક્ષ રૂપે વિપક્ષ પર નિશાન પણ સાધ્યું હતું.

 

 શ્રી મોહન ભાગવતે જનસંખ્યા  નિયંત્રણ માટે  બે બાળકોના કાયદા પર ચાલી રહેલી મીડિયાના અહેવાલનું ખંડન કરતા પરોક્ષરૂપે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, અમે બે બાળકોના કાયદાની વાત કરી નથી. અમે કહ્યું કે, જનસંખ્યા એક સમસ્યા પણ છે અને સાધન પણ, તેનો વિચાર કરતા એક નીતિ બનવી જોઈએ. સરકારે એક નીતિ બનાવી છે પરંતુ તેના પર વધુ વિચાર કરવાની જરૂર છે. બધાનું મન જાણીને કાયદો બનવો જોઈએ, પછી બધા પર લાગૂ થવો જોઈએ. પરંતુ આ પણ કેટલાક લોકોએ મુદો બનાવી અમારો  તેવી વાતો કરી રહયા છે. આગામી એજન્ડા આ હશે તો, અમારે તેનું ખંડન કરવાની જરૂર નથી.

શ્રી મોહન ભાગવતજીએ કહ્યું કે, સંદ્યના ઈતિહાસમાં કેટલાય એવા પ્રસંગ આવ્યા કે સંદ્ય સમાપ્ત થઈ જશે, પરંતુ આવી વાતો કરનારા પોતે સમાપ્ત થઈ ગયા. તેમણે કહ્યું કે, વહેમ પેદા કરીને અને વહેમનો ડર દેખાડીને પોતાની પાછળ ભીડ ભેગી કરવી, પરંતુ અમે ભીડ ભેગી કરવામાં વિશ્વાસ કરતા નથી. તેમણે કહ્યું કે, અમારે કોઈને હરાવવા નથી. અમારુ કોઈ દુશ્મન નથી. આ બધા લોકો જે પણ કઈ રહ્યાં છે, તે પણ અમારા પોતાના છે. અમારે તેની સાથે પણ જોડાવાનું છે. તેમાંથી કોઈ છૂટશે નહીં, આ બધા અમારા પોતાના છે. અમારા મનમાં ગુસ્સો નથી. તે જે પ્રચારનો માર્ગ અપનાવે છે, તે અજ્ઞાનતાને કારણે છે.

(11:32 am IST)