Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શરદ પવારને સમજવા માટે કેટલાક જન્મ લેવા પડે, તેમની આગેવાનીમાં ખેડૂતોના પ્રશ્ને નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કરીશુ : સંજય રાઉત

મુંબઈ : શિવસેનાના સાંસદ સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા દાવો કર્યો છે. ભાજપે અમારી સાથે દગો કર્યો છે. એ નક્કી છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની જ સરકાર બનશે. શરદ પવારનું કદ મોટુ છે, પ્રધાનમંત્રી તેના વખાણ કરી શકે છે. શરદ પવારને સમજવા માટે કેટલાક જન્મ લેવા પડે. ઉલ્લેખનીય છે કે રાજયસભામાં ગઈકાલે નરેન્દ્રભાઈએ શરદ પવારના વખાણ કર્યા હતા. જે રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. સંજય રાઉતે કહ્યું કે અમે ખેડૂતોના પ્રશ્ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શરદ પવારની આગેવાનીમાં મુલાકાત કરીશુ.

(1:04 pm IST)