Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની ફોર્મૂલા મંગાવી : કરીશું અભ્યાસ :વિજયભાઈ રૂપાણીની જાહેરાત

-અનામતના રિપોર્ટ પર ચર્ચા કરવા કાલે ગાંધીનગરમાં મહત્વની બેઠક

ગાંધીનગરઃ મહારાષ્ટ્રમાં ભાજપની ફડણવીસ સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાત સરકારે પોઝિટિવ સંકેત આપ્યો છે. મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર પાટીદારોને કઈ રીતે અનામત આપી શકાય તે અંગે મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ મંગાવશે. મરાઠાઓને આપેલી અનામત અંગેના રિપોર્ટનો અભ્યાસ કરીને તેના પર ગુજરાત સરકાર કોઈ નિર્ણય કરશે. આ અંગે ચર્ચા કરવા માટે મંગળવારે સરકારની એક મહત્વની બેઠક મળશે. 

 
(8:10 pm IST)