Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની ઘટનાઓ

ભારતમાં સામાન્ય વારસો, સાંસ્કૃતિક સમાવેશ તથા પરસ્પર સહિષ્ણુંતા પ્રત્યે ગાઢ શ્રદ્ધા રહી છે. પછી ભલે એમનો ધાર્મિક વિશ્વાસ ગમેતે હોય, અને આ જ વાત નિમ્નલિખિત ઘટનાઓથી સિદ્ધ થાય છે.

મુસ્લિમો દ્વારા મંદિરની દેખરેખ રાખવામાં આવે છેઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરપુર જિલ્લામાં લડ્ઢેવાલામાં એક મંદિરની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસાર એનું રંગરોગાન ચિત્રકામ વિગેરે સ્થાનિક મુસ્લિમ નાગરિકો દ્વારા કરવામાં આવે છે. સને ૧૯૯૦માં બાબરી મસ્જીદના ધ્વંસ બાદ હિન્દુઓએ ઉકત મંદિરનો ત્યાગ કરી દીધો હતો. મુસ્લિમો એ દિવસની અધીરાઈપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે કે, જયારે એમના હિન્દુ ભાઈઓ ત્યાં જઈને પોતાનું ધાર્મિક અનુષ્ઠાન કરશે.

એક હિન્દુ દ્વારા એક મસ્જીદની સાર- સંભાળઃ- ઉત્તરપ્રદેશના મુઝફફરનગર જિલ્લામાં આવેલા નન્હેડા ગામના એક હિન્દુ રાજમિસ્ત્રી સ્થાનિક મુસ્લિમ નાગરિકોની ગેરહાજરીમાં એક ૧૨૦ વર્ષ જૂની પુરાણી મસ્જિદની દેખભાળ રાખી રહ્યા છે. ઉકત રાજમિસ્ત્રી આ મસ્જીદની સારસંભાળ, દૈનિક સાફ- સફાઈ અને સમયાનુસારએનું રંગરોગાન વિગેરે કરાવે છે.

હનુમાનની ભકિતમાં કવ્વાલીઃ- ગુજરાત સ્થિત વડોદરાના તરસાલીમાં એક હનુમાન મંદિરમાં ૨ કલાકની કવ્વાલીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પવનપુત્રની ઉપાસનામાં કવ્વાલોએ મધુર કવ્વાલીઓ ગાઈ. આ મંદિરમાં પ્રત્યેક શનિવારે ૫૦૦ મુસ્લિમો સહિત લગભગ ૩૦૦૦ લોકો પ્રાર્થના કરે છે. હનુમાનચાલિસાનો પાઠ કરે છે અને હનુમાનજીના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. આ આંતરધાર્મિક સહિષ્ણુંતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ છે.

(3:23 pm IST)