Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પ્રશાસન ઉપર ભરોસો નથી, એનઆઇએ કરે પિતાની હત્‍યાની તપાસઃ કમલેશના પુત્રની વ્‍યથા

        હિંદુ મહાસભાના પુર્વ નેતા કમલેશ તિવારીના પુત્ર સત્‍યમ તિવારીએ કહ્યું છે કે તે પોતાના પિતાની હત્‍યાના મામલાની તપાસ  એનઆઇએ (રાષ્‍ટ્રીય તપાસ એજન્‍સી) દ્વારા કરાવવા માગે છે.  અને પ્રશાસન પર એમને ભરોસો નથી.

        એમણે કહ્યું  સુરક્ષા કર્મી હોવા છતા મારા પિતાને મારી નાખવામાં આવ્‍યા. અમે પ્રશાસન પર ભરોસો કેવી રીતે કરી શકીએ.

        કમલેશ તિવારીની  હત્‍યા કેસમાં ત્રણ અટકાયતમાં છે. યૂપીના ડીજીપીનુ આતંકી સંગઠન સાથે કોઇ સંબંધ નથી.

(11:50 pm IST)