Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ચિરાગ પાસવાનની લોક જનશકિત પાર્ટીમાં વિરોધનો દાવાનળ, સૂરજભાણ સિંહ બોલ્‍યા અમે એનડીએમાં રહેવા ઇચ્‍છુક છીએ

લોકજનશકિત પાર્ટીમાં પાર્ટી અધ્‍યક્ષ ચિરાગ પાસવાનના સ્‍ટેન્‍ડ વિરૂધ્‍ધ દાવાનળ સળગવા લાગ્‍યો છે. વરિષ્‍ઠ નેતા અને પૂર્વ સાંસદ સૂરજભાણ સિંહએ એબીપી ન્‍યૂઝને વાતચીત દરમ્‍યાન તે ફોર્મ્‍યૂલા બતાવી જેના પર વાત બની શકે છે પણ એલજેપી અધ્‍યક્ષ ચિરાગનું નિવેદન અને સૂરજભાણ સિંહની ફોર્મ્‍યૂલામાં સમાનતા નથી દેખાતી.

સૂરજભાણ સિંહએ કહ્યું અમે એનડીએમાં રહેવા માગીએ છીએ પુરૂ એનડીએ એક થઇને લડશે તો ર૦૦થી વધારે સીટ બિહારમાં આવશે. આ વાત બધા કહી રહ્યા છે. નફા નુકશાન તો થતું રહે છે. રાજનીતિ એવી ચીજ છે. ચિરાગને થનારા નુકસાનથીઅવગત કરાવેલ. રામવિલાસ પાસવાન સાથે કોઇ વાત નથી થઇ ચિરાગ અને રામવિલાસના વિચારોમાં જમીન આસમાનનો ફરક છે. એલજેપીને સમ્‍માન મળવું જોઇએ સાથે બેસીને હલ કાઢવો જોઇએ.

(12:23 am IST)