Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે બોલ્યા નેહરૂ ૧૪ મિનીટ પણ જેલમાં નથી રહ્યાઃ કોંગ્રેસે આપ્યો જવાબઃ નેહરુ ૩રપ૯ દિવસ જેલમાં રહ્યા હતા

.         શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ જણાવેલ કે વીર સાવરકર ૧૪ વર્ષ જેલમાં રહ્યા, નેહરુ ૧૪ મિનીટ પણ જેલમાં રહ્યા હોત તો એમને હુ વીર કહીશ, આ  નિવેદન પર કોંગ્રેસ પ્રવકતા સંજય ઝા એ પ્રતિક્રિયા આપી છે.

         ઝા એ ટવિટ કર્યુ પંડિત નેહ રૂ ૩રપ૯ દિવસ જેલમાં રહ્યા હતા. આને મિનિટોમાં બદલવા માટે કૃપયા આદિત્યની મદદ લ્યો.

         ઉદ્વવ ઠાકરેએ કહ્યું જો સાવરકર દેશના પીએમ હોત તો પાકિસ્તાન હોત જ નહી.

(11:23 pm IST)