Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી :વીર સાવરકર અંગે કથિત વાંધાજનક ટિપ્પણી મામલે પોલીસને તપાસના આદેશ

મુંબઇની ભોંઇવાડા કોર્ટે રાહુલ ગાંધીને ગેરહાજર રહેવા બદલ કોર્ટે આ હુકમ કર્યો

 

મુંબઈ : વીર સાવરકર મામલે વર્ષ 2016માં કરેલી કથિત આપત્તિજનક ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. મુંબઇની મેજીસ્ટ્રેટ કોર્ટે મુંબઇ પોલીસને રાહુલ ગાંધી વિરૂદ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

  કેસમાં મુંબઇની ભોંઇવાડા કોર્ટે રાહુલ ગાંધીને ગેરહાજર રહેવા બદલ કોર્ટે હુકમ કર્યો છે. વીર સાવરકરનાં પરિજનો રણજીત સાવરકરે કહ્યું કે સાવરકર સ્મારકે રાહુલ ગાંધી વિરૂદ્ધ મુંબઇનાં ભોંઇવાડા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે મામલે અદાલતે ગઇકાલે તપાસ શરૂ કરવા કહ્યું છે.

રાહુલ ગાંધીએ વર્ષ 2016માં વીર સાવરકર મામલે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સંસ્થાને મુંબઇ પોલીસનાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

(12:37 am IST)