Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પીટર અને ઇન્દ્રાણી મુખરજીએ આપસી સમજૂતીથી લીધા છુટાછેડા

પ્રોપર્ટીની વહેંચણીમાં પણ કોઇ વિવાદ નહીં

આર્થર રોડ જેલમાંથી પીટર મુખરજીને ગઇકાલે ફેમિલી કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. : ઇન્દ્રાણી મુખરજીને ભાયખલા જેલમાંથી ગઇકાલે ફેમિલી કોર્ટમાં લાવવામાં આવી હતી.

મુંબઇ તા.૧૯: શીના બોરા હત્યાકેસમાં જેલમાં રહેલાં ઇન્દ્રાણી અને પીટર મુખરજીએ ગઇકાલે આપસી સમજુતીથી છુટાછેડાના દસ્તાવેજો પર સહી કરી નાખી હતી. ગઇકાલે બંન્નેને બાંદરાની ફેમિલી કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં અને મેજિસ્ટ્રેટની સામે તેમણે આપસી સમજુતીથી છુટા થવા માગતાં હોવાના દસ્તાવેજ પર સહી કરી નાખી હતી. હવે તેમનો કાઉન્સેલિંગનો સમયગાળો પણ પુરો થઇ ગયો છે.

ઇન્દ્રાણી કશું ખાઇ ન લે એનું ધ્યાન રાખવા માટે તેની સાથે ૧૫ પોલીસ રાખવામાં આવ્યા હતા અને પીટરની સાથે છ પોલીસ-જવાનો હાજર હતા. બન્નેએ બધી પ્રોપર્ટી અડધી-અડધી વહેંચી લેવાની વાત કોર્ટ સમક્ષ રજૂ કરી છે અને આ વહેંચણી પર સ્ટેમ્પ-ડયુટી લાગતી હોવાથી સ્થાવર જંગમ મિલકતોની યાદી કોર્ટમાં રજુ કરવામાં આવી છે.

(4:15 pm IST)