Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

પહેલા અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કર્યા બાદમાં અમે ચૂંટણીમાં જઈશું :સાંસદ સાક્ષી મહારાજને શ્રદ્ધા

2019માં રામમંદિર નહિ થાય તો દેશના સાધુ-સંતો મજબુર થઈને આંદોલન કરશે

 

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 2019 પહેલા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ જશે. જો નહીં થાય તો દેશના સાધુ-સંતોને મજબૂર થઇને આંદોલન કરવું પડશે

  રામ મંદિર મુદ્દે સાક્ષી મહારાજે કહ્યું કે મને લાગે છે કે 2019 પહેલા રામ મંદિરના નિર્માણ કર્યા બાદ અમે ચૂંટણીમાં જઇશું. પરંતુ કેસ કોર્ટમાં છે. તેમણે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો કે દેશની સર્વોચ્ચ અદાલત મામલે વહેલી તકે સુનાવણી કરીને નિર્ણય આપે. કે જેથી દેશના સાધુ-સંતોએ નિર્માણ માટે આંદોલન કરવા માટે ઉતરવું પડે.

(12:00 am IST)