Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ઇમરાનખાનને સતત પેટમાં ચૂંક ઉપડે છે : કાશ્મીરમાં યુનોના નિરીક્ષક મોકલો : કાગારોળ

નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન મોદી સરકાર અને હિન્દુ સંસ્થાઓને સતત ફાસીસ્ટ અને જર્મનીના નાઝી સાથે સરખાવી રહ્યા છે. એક ટવીટ કરી લખ્યું છે કે જે રીતે જર્મનીને નાઝીઓએ કબ્જામાં લીધેલ તે રીતે હિન્દુ નેતાગીરી અને સર્વોચ્ચતા સ્થાપિત કરવા માગતી હિન્દુ વિચારધારાએ ભારતને કબ્જામાં લઇ લીધુ છે. આ કારણે ૯૦ લાખ કાશ્મીરીઓ ભારતના શ્રીનગરમાં ર અઠવાડિયાથી કેદ જેવી સ્થિતિમાં છે. આ ઘટનાથી વિશ્વભરમાં ચિંતાની લાગણી થવી જોઇએ અને યુનોના નિરીક્ષકોને ત્યાં મોકલવા જોઇએ.

 

(10:25 am IST)