Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

બુડ્ડા અમરનાથ : ૯૦૯ શ્રદ્ધાળુની ટુકડી રવાના

૨૨ વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના

         શ્રીનગર, તા. ૧૯ : પુછમાં સ્થિત બાબા બુડ્ડા અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ત્રીજી ટુકડી સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. જમ્મુના યાત્રી નિવાસ ભગવતીનગરથી શ્રદ્ધાળુઓની ટીમ જુદી જુદી ગાડીઓમાં રવાના થઇ હતી. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આજે સવારે ૧૩૧ મહિલા સહિત ૯૦૯ શ્રદ્ધાળુઓની ત્રીજી ટુકડી રવાના થઇ હતી. પહાડી પૂચ જિલ્લામાં સ્થિત બુડ્ડા અમરનાથ મંદિરમાં દર્શન માટે ૨૨ વાહનોમાં આ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. નવેસરની બેંચ સાથે જ દેશના જુદા જુદા ભાગોમાં હજુ સુધી ૩૧૫૬ જેટલા શ્રદ્ધાળુઓ બેઝકેમ્પથી રવાના થઇ ચુક્યા છે. આ યાત્રા શરૂ થયા બાદથી જ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિયમિતરીતે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ રહી છે.

(7:32 pm IST)