Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

કોંગ્રેસનો મોટો નિર્ણય : મણિશંકર ઐયરના સસ્પેનશનને પરત ખેંચી લીધું

રાહુલ ગાંધીએ કેન્દ્રીય અનુશાસનાત્મક કમિટીની માંગ સ્વીકારી લીધી

નવી દિલ્હી :કોંગ્રેસે વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરના સસ્પેનશનને પરત ખેંચી લીધું છે.અત્રે ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતાં તેમને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી ડિસેમ્બર 2017માં સસ્પેન્ડ કર્યા હતા. રાહુલ ગાંધીએ મણિશંકરની ટિપ્પણીની નિંદા કરી હતી. અને હવે એ જ રાહુલ ગાંધીએ પાર્ટીની કેન્દ્રીય અનુશાસનાત્મક કમિટીની મણિશંકર ઐયરનું સસ્પેનશન પરત લેવાની માગ પર સ્વીકારી લીધી છે .

(1:12 pm IST)