Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

હાર્દિક પટેલને છોડવામાં નહિ આવે તો વડાપ્રધાનના કાર્યક્રમનો કરાશે વિરોધ

અમદાવાદ :હાર્દિક પટેલને આગામી 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ માટે મંજૂર આપવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાની હાર્દિક પટેલે જાહેરાત કરી હતી. જેના ભાગ રૂપે આજે અમદાવાદમાં હાર્દિક પટેલ નિકોલ ખાતે પાર્કિંગ પ્લોટમાં ઉપવાસ કરવા જઇ રહ્યો ત્યારે જ નિવાસ સ્થાન બહારથી જ ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે પાસ કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. જો હાર્દિક પટેલને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો વડાપ્રધાન મોદીના આવનારા કાર્યક્રમનો ભારે વિરોધ કરવામાં આવશે એમ રાજકોટના પાસ કન્વીનરે ચીમકી ઉચ્ચારી હતી.

(12:51 pm IST)