Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

દેશમાં કોરોના થાક્યો : નવા 29.413 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 45.345 દર્દીઓ રિકવર થયા : વધુ 372 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.14.513 થયો :એક્ટીવ કેસ 3.99.998 થયા : કુલ કેસની સંખ્યા 3.11.73.019 થઇ

સૌથી વધુ કેરળમાં 9931 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6017 કેસ,તામિલનાડુમાં 1971 કેસ,આસામમાં 1797 કેસ,ઓરિસ્સામાં 1648 કેસ, આંધ્રપ્રદેશમાં 1628 કેસ,કર્ણાટકમાં 1219 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 29.413 કેસ નોંધાયા છે. જ્યારે 45.345 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 29,413 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 372 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.14.513 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 29.413 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.11.73.019 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.99.998 થઇ છે છેલ્લા 24 કલાકમાં 45.345 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.03.46.131 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 9931 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6017 કેસ,તામિલનાડુમાં 1971 કેસ,આસામમાં 1797 કેસ,ઓરિસ્સામાં 1648 કેસ, આંધ્રપ્રદેશમાં 1628 કેસ,કર્ણાટકમાં 1219 કેસ નોંધાયા  છે

(1:12 am IST)